Pradhan Mantri Suraksha Bima Yojana (PMSBY) | પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના

Pradhan Mantri Suraksha Bima Yojana (PMBSY) | પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના | PMBSY Application Form Download | Pradhan Mantri Suraksha Bima Yojana Form PDF In Gujarati | Pradhan Mantri Suraksha Bima Yojana Claim Form

ભારત સરકાર દ્વારા એકદમ મામૂલી પ્રીમિયમમાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના” (PMBSY) અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) અમલમાં મૂકવામાં આવેલ છે. PMBSY નું વાર્ષિક પ્રીમિયમ માત્ર 12 રૂપિયા છે. જે પ્રીમિયમ બેંક અને પોસ્ટ ખાતામાં ભરી શકાય છે. આ યોજનાનો લાભ અકસ્માતમાં મૃત્યુ અને વિકલાંગતાના કિસ્સામાં મળવાપાત્ર છે. વીમા લેનારનું અકસ્માતમાં મૃત્યુ થાય તો 2 લાખ રૂપિયા અને વિકલાંગતાના કિસ્સામાં 1 લાખ રૂપિયા વીમા કવચ મળવાપાત્ર થશે.

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનું વાર્ષિક પ્રીમિયમ 31 મે મહિનાના અંત સુધીમાં ભરવાનું હોય છે. જો અગાઉ પ્રીમિયમ કપાવેલ હશે તો આપના બેંક અથવા પોસ્ટ ખાતામાંથી જાતે જ ચાર્જ થઈ જશે. આ યોજનાનો લાભ ચાલુ રાખવો હોય તો તમારા બેંક અથવા પોસ્ટ ખાતામાં બેલેન્‍સ રાખવું જરૂરી છે. આ યોજનાનો કોઈપણ એક જ એકાઉન્‍ટમાં લાભ મળવાપાત્ર છે. આ યોજનાનો લાભ પ્રધાનમંત્રી જન ધન યોજનાના બેંક અકાઉંટમાં મળે છે.

Pradhan Mantri Suraksha Bima Yojana (PMSBY) Video

Pradhan Mantri Suraksha Bima Yojana (PMSBY) Overview

યોજનાનું નામપ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના
યોજના લાભઅકસ્માતથી મૃત્યુ અથવા વિકલાંગતા પર અનુક્રમે 2 લાખ અને 1 લાખની સહાય
લાભાર્થીકોઈપણ ભારતીય નાગરિક
વીમા ભરણની રાશિવાર્ષિક 12 રૂપિયા
વીમાની મળવાપાત્ર રકમરૂપિયા 2 લાખ
Yojana Official Websitejansuraksha.gov.in

PMBSY Eligibility

  • 18 થી 70 વર્ષની ઉંમરના લોકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.
  • પીએમ સુરક્ષા વીમા યોજનાનો લાભ ભારતના નાગરિકોને મળશે.
  • આ યોજનાનો લાભ લેવા માટે આધારકાર્ડ, બેંક કે પોસ્ટ ખાતા હોવું જોઈએ.
  • આ વીમા યોજનાનો માટે 31 May ના સુધી બેંક અથવા પોસ્ટ ખાતામાંથી વીમા પ્રીમિયમ કપાશે.
  • જેના માટે બેંક ખાતામાં મિનિમમ બેલેન્‍સ હોવું જરૂરી છે.
  • આ યોજનાનું વાર્ષિક પ્રીમિયમ માત્ર 12 રૂપિયા છે.
  • બેંક અને પોસ્ટ ખાતા સાથે આધારકાર્ડ લિંક કરાવેલ હોવું જોઈએ અને ખાતું સક્રિય હોવું જોઈએ.

PMSBY યોજના માટે અગત્યના ડોક્યુમેંટ્સ

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો લાભ લેવા માટે નીચે આપેલ ડોક્યુમેંટ્સ જરૂરી છે.

  1. અરજીપત્રક (Application Form)
  2. આધારકાર્ડ (Aadhar Card)
  3. રેશનકાર્ડ (Ration Card)
  4. ઓળખપત્ર (Identity Certificate)
  5. આવકનો દાખલો (Income Certificate)
  6. પાસપોર્ટ સાઈઝનો ફોટો (Passport Size Photo)
  7. મોબાઈન નંબર (Mobile Number)

PMSBY યોજના હેઠળ મળવાપત્ર લાભ

PMSBY (Pradhan Mantri Suraksha Bima Yojana) હેઠળ અકસ્માતથી મૃત્યુ પામેલ કે વિકલાંગ થયેલના કિસ્સામાં અનુક્રમે 2 લાખ અને 1 લાખ રૂપિયા મળવા પાત્ર થસે. વધારે માહિતી નીચે મુજબ છે

લાભ પ્રકારવિમાની રાશિ
અકસ્માતના કારણે થતાં મૃત્યુરૂ. 2 લાખ
અકસ્માતમાં બંને આંખોની દ્રષ્ટિ ગુમાવવી અથવા
બંને આંખોની રોશની પાછી ન આવી શકે તેવું નુકશાન અથવા
અકસ્માતમાં બંને પગ અથવા બંને હાથ ગુમાવવા
રૂ. 2 લાખ
અકસ્માતમાં એક આંખની દ્રષ્ટિ ગુમાવવી અથવા
એક આંખની રોશની પાછી ન આવી શકે તેવું નુકશાન અથવા
અકસ્માતમાં એક પગ અથવા એક હાથ ગુમાવવા
રૂ. 1 લાખ

How to apply for PMSBY Yojana?

પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનું નવું રજીસ્ટ્રેશન કરવા માટે કોઈપણ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં જઈને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના ફોર્મ ની અરજી કરી શકાય છે. બેંક મિત્ર આ યોજનાનો લાભ ઘરે જઈને આપે છે. આ યોજના માટે વીમા એજન્‍ટનો પણ સંપર્ક કરી શકાય છે.

PMSBY Application Form (અરજી ફોર્મ)

Pradhan Mantri Suraksha Vima Yojana pdf ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા નિયત નમૂનો બનાવેલ છે. તથા Pradhan Mantri Suraksha Vima Yojana Claim Form માટેની PDF ફાઇલ નીચે મુજબની લિંક દ્વારા મળી જશે.

Important Links

ગુજરાતીમાં PMSBY યોજનાનું – ફોર્મ ડાઉનલોડ કરો
ગુજરાતીમાં PMSBY યોજનાનો લાભ મેળવવા માટેનું Claim Form ફોર્મ ભરો
Pradhan Mantri Suraksha Bima Yojana Form in English – Click Here
Pradhan Mantri Suraksha Bima Yojana Claim Form in English – Click Here
प्रधानमंत्री सुरक्षा बीमा योजना फॉर्म डाउनलोड करे
प्रधानमंत्री सुरक्षा बीमा योजना Claim Form फॉर्म डाउनलोड करे

Frequently Asked Questions

Q. પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ કેટલી સહાય મળે છે?

Ans – પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ અકસ્માત મૃત્યુ/વિકલાંગતા થાય તો 2 લાખની સહાય રકમ આપવામાં આવે છે.

Q. પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના માટે હેલ્પલાઇન નંબર શું છે?

Ans – પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના Helpline Number (હેલ્પલાઇન નંબર) 18001801111/1800110001 છે.


Pradhan Mantri Suraksha Bima Yojana (PMSBY) | પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના

Stay Happy & Connected With www.onlinegovjob.in for Latest Government Jobs & schemes Update

Important Note:- Please always check & confirm the above details with the official website & Advertisement/Notification.