Ambedkar Awas Yojana Online Application 2022 – ડૉ. આંબેડકર આવાસ યોજના

Ambedkar Awas Yojana 2022

Ambedkar Awas Yojana 2022:  ભારત જેવા વિકાસશીલ દેશમાં ઘણા નાગરિકો ઘરવિહોણા હોય છે. આવા ઘરવિહોણા લોકો માટે સરકારશ્રી દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમ કે પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનાપ્રધાનમંત્રી આવાસ યોજના, ડો.આંબેડકર આવાસ યોજના વગેરે… આ યોજનાઓ દ્વારા ઘરવિહોણા નાગરિકોને આવાસ આપવામાં આવે છે.

Yojana Name: Ambedkar Awas Yojana

આંબેડકર આવાસ યોજના હેતુ

અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતી ધરાવતાં અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘરવિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરા પાડવાનો છે. જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા હોય, તદ્દન કાચું ગાર માટીનું, ઘાસપૂળાનું, કુબા ટાઈપનું મકાન કે જે રહેઠાણ યોગ્ય ન હોય તેવું મકાન ધરાવનાર તથા મકાનની માલિકની સંમતિથી પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે ત્રણ હપ્તામાં સહાય ચુકવવામાં આવે છે.

Ambedkar Awas Yojana – મળવાપાત્ર લાભ

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા નબળી આર્થિક સ્થિતિ ધરાવતા લોકોને આંબેડકર આવાસ યોજનાઓ લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે કુલ ત્રણ હપ્તામાં 1,20,000/- ની સહાય આપવામા આવે છે.

    ● લાભાર્થીને પ્રથમ હપ્તામાં 40,000/- સહાય આપવામાં આવે છે.

    ● બીજા હપ્તા પેટે 60,000/- લાભ મળવાપાત્ર થાય છે.

    ● ત્રીજા હપ્તા પેટે 20,000/- મળવાપાત્ર થાય છે.. 

Ambedkar Awas Yojana – નિયમો અને શરતો
  • લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટૃંબના સભ્યો દ્વારા સરકારશ્રી દ્વારા અમલિત અન્ય કોઈપણ આવાસ યોજના હેઠળ લાભ લીધેલ ન હોવો જોઈએ.
  • ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક ₹ 1,20,000/- અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક ₹ 1,50,000/- થી વધુ ન હોવી જોઇએ.
  • મકાનની સહાયની રકમ ₹ 1,20,000/- રહેશે. વધુમાં શૌચાલય માટે જેમને ₹ 12,000/- ની સહાય મળવાપાત્ર હોય તેમને અલગથી તે યોજનાના નિયમો પ્રમાણે મળવાપાત્ર થશે. પરંતુ, જો લાભાર્થીને શૌચાલય માટે સહાય ન મળવાપાત્ર હોય તો તેમણે ફરજિયાત ₹ 1,20,000/- ની સહાયમાંથી શૌચાલય બનાવવાનું રહેશે.
  • આ યોજના હેઠળ બનેલ મકાન ઉપર લાભાર્થીએ “રાજ્ય સરકારની આંબેડકર આવાસ યોજના” એ મુજબની તક્તી લગાવવાની રહેશે.
  • મકાન બાંધકામની ટોચ મર્યાદા શહેરી વિસ્તાર માટે ₹ 10,00,000/- અને ગ્રામ્ય વિસ્તારમાં ₹ 7,00,000/- ની રહેશે.
  • શહેરી વિસ્તારમાં Affordable Housing Scheme હેઠળ આપવામાં આવતી સહાયમાં ઉપરની ટોચ મર્યાદા લાગુ પડશે નહી
  • મકાન સહાયના પ્રથમ હપ્તાની ચૂકવણી કર્યેથી ૨ વર્ષમાં મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે.
  • લાભાર્થીની ઉંમર ઓછામાં ઓછી ૨૧ વર્ષ રહેશે.

Important Links

Govt. Official WebsiteClick Here
Your Application StatusClick Here
New User? Please Register Here!Click Here
Citizen Help ManualDownload Here
Home PageClick Here
Ambedkar Awas Yojana Document List

ડૉ. આંબેડકર આવાસ યોજનાનું ફોર્મ ભરવા માટે નીચેના દસ્તાવેજો જરૂરી છે.

  • અરજદારનું આધાર કાર્ડ
  • અરજદારનું રેશનકાર્ડ
  • અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો
  • અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
  • પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
  • જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રીશ્રી)ની સહીવાળી
  • ચૂંટણી ઓળખપત્ર
  • મકાન બાંધકામ ચિઠ્ઠી
  • સ્વ-ઘોષણા પત્ર(Self Declarition)
  • જે જગ્યાએ મકાન બાંધકામ કરવાનું હોય તે ખુલ્લો પ્લોટ/જર્જરીત મકાનનો ફોટો
Apply Process For Ambedkar Awas Yojana

ડૉ. આંબેડકર આવાસ યોજનાનો લાભ લેવા માટે એપ્લિકેશન ફોર્મ ભરવા નીચે મુજબના પગલાં લેવા જોઈએ.

  ● ઈ સમાજ કલ્યાણ પોર્ટલની Official Website ઓપન કરો.

    ● જેમાં “Director Scheduled Caste Welfare” પેજ પર ક્લિક કરો.

    ● જેમાં નંબર-2 Dr Ambedkar Avas Yojana પર ક્લિક કરો.

    ● જો તમે રજિસ્ટ્રેશન ન કરેલું હોય તો “New User? Please Register Here પર ક્લિક કરો.

    ● જેમાં તમારે નામ, જાતિ, મોબાઈલ નંબર, પાસવર્ડ તથા Captcha Code નાખીને નવું એકાઉન્ટ બનાવવાનું રહેશે.

    ● નવું એકાઉન્ટ બનાવ્યા બાદ Citizen Login પર ક્લિક કરવાનું રહેશે.

● જેમાં User Id, Password અને Captcha Code ના આધારે લોગીન કરવાનું રહેશે.

    ● Citizen Login માં ડૉ.આંબેડકર આવસ યોજના પર ક્લિક કરો.

    ● ત્યારબાદ એમાં પોતાની વ્યક્તિગત માહિતી ભરો.

    ● ત્યારબાદ ઘર વિહોણા કે રહેવાલાયક ઘર નથી તેની માહિતી ભરો.

    ● ત્યારબાદ માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરો.

    ● ત્યારબાદ સંપૂર્ણ માહિતી એકવાર ધ્યાનપૂર્વક ચકાસીને Save બટન પર ક્લિક કરો.

    ● ફાઈનલ Confirm થયા બાદ ફોર્મની પ્રિન્ટ નીકળી રાખો.

    ● એપ્લિકેશન ફોર્મ સાથે તમામ ડોક્યુમેન્ટ જોડીને જિલ્લા કચેરી ખાતે અરજી જમા કરવી.

Ambedkar Awas Yojana Application Form 2022 - આંબેડકર આવાસ યોજના

Stay Happy & Connected With www.onlinegovjob.in for Latest Government Jobs & schemes Update

Important Note:- Please always check & confirm the above details with the official website & Advertisement/Notification.