AICTE Saksham Scholarship 2023 | સક્ષમ શિષ્યવૃત્તિ યોજના:- આજકાલ દરેક સંસ્થાઓ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપી શિક્ષણ સ્તરને ઉપર લાવવાનો છે. સક્ષમ શિષ્યવૃત્તિ યોજનાએ શિક્ષણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી એક અનોખી પહેલ છે. આ યોજનાનું અમલીકરણ AICTE દ્વારા કરવામાં આવે છે. આ યોજનાનો ઉદ્દેશ્ય વિશેષ વિકલાંગ બાળકોને ટેક્નિકલ શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન અને સમર્થન આપવાનો છે. આ યોજના દ્વારા વિશેષ રીતે સક્ષમ વિદ્યાર્થીને ટેકનિકલ શિક્ષણ/જ્ઞાન દ્વારા સફળ ભવિષ્ય માટે તૈયારી કરવાની તક આપવાનો પ્રયાસ છે.
AICTE Saksham Scholarship 2023
યોજનાનું નામ | સક્ષમ શિષ્યવૃત્તિ યોજના |
અમલીકરણ સંસ્થા | AICTE (All India Council for Technical Education) |
લાભાર્થી | વિકલાંગ વિધ્યાર્થીઓ |
મળવાપત્ર રકમ | મહતમ 2,00,00 રૂપિયા |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન માધ્યમથી |
Yojana Official Website | http://www.scholarships.gov.in/ |
સક્ષમ શિષ્યવૃત્તિ યોજનાના લાભ
- વિદ્યાર્થીઓને અભ્યાસના દરેક વર્ષ માટે વાર્ષિક 50,000/- એટલે કે પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે મહત્તમ 4 વર્ષ અને બીજા વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે વધુમાં વધુ 3 વર્ષ કોલેજ ફીની ચુકવણી અને અન્ય ખર્ચ માટે.
- પસંદગી પામેલા વિદ્યાર્થીઓને વાર્ષિક ધોરણે DBT મોડ દ્વારા શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવશે.
- ઓનલાઈન પોર્ટલ પર સંસ્થાના વડાના પત્ર અને પાસ થવાનું પ્રમાણપત્ર/માર્કશીટ સબમિટ કરીને રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ દ્વારા આગામી વર્ષ માટે શિષ્યવૃત્તિનું નવીકરણ કરવામાં આવશે.
સક્ષમ શિષ્યવૃતિ યોજનાની પાત્રતા
- AICTE દ્વારા મંજૂર કરાયેલી કોઈપણ સંસ્થામાં ઉમેદવારને ડિગ્રી લેવલના કોર્સના પ્રથમ વર્ષમાં અથવા ડિગ્રી લેવલના કોર્સના બીજા વર્ષમાં પ્રવેશ મેળવેલો હોવો જોઈએ.
- ખાસ વિકલાંગ વિદ્યાર્થીઓની વિકલાંગતા 40% કરતા ઓછી ન હોવી જોઈએ.
- વાર્ષિક કૌટુંબિક આવક આઠ લાખથી વધુ ન હોવી જોઈએ.
- રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સરકાર દ્વારા માન્ય આવક પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
How to apply for Saksham Scholarship Yojana?
- સૌ પ્રથમ શિષ્યવૃત્તિની ઓફિશિયલ વેબસાઈડ http://www.scholarships.gov.in/ પર જાઓ.
- તેના પછી “New Registration” પર ક્લિક કરો.
- પછી તમારી સામે નોંધણી શિષ્યવૃત્તિ માટેની માર્ગદર્શિકા દેખાશે.
- માર્ગદર્શિકા વાંચ્યા પછી “continue” પર ક્લિક કરો.
- પછી તમારી સામે નોધણી ફોર્મ દેખાશે.
- વિગત ભરી નોધણી કરો ના વિકલ્પ પર ક્લિક કરો.
- પછી તમારી એપ્લિકેશનના ID અને પાસવર્ડ દેખશે.
- આ ID અને પાસવર્ડ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS તરીકે મોકલવામાં આવશે.
- પછી આ વેબસાઈડ https://scholarships.gov.in/fresh/newstdRegfrmInstruction પર જાઓ.
- પછી તમારો ID અને પાસવર્ડ અને કેપ્ચા દાખલ કરી લૉગિન કરો.
- પછી તમારા તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર પ્રાપ્ત થયેલ OTP દાખલ કરો.
- તમને પાસવર્ડ રીસેટ સ્ક્રીન પર મોકલવામાં આવશે.
- પછી નવો પાસવર્ડ બનાવો. અને “સબમિટ કરો” પર ક્લિક કરો.
- તે પછી તમને “અરજદારના ડેશબોર્ડ” પર નિર્દેશિત કરવામાં આવશે.
- આગળના પેજ પર “અરજી ફોર્મ” પર ક્લિક કરો.
- * તરીકે ચિહ્નિત થયેલ વિગતોએ ફરજિયાત ભરી અને દસ્તાવેજો અપલોડ કરો.
- પછી તમે “સેવ એઝ ડ્રાફ્ટ” પર ક્લિક કરો.
સક્ષમ શિષ્યવૃતિ યોજના દસ્તાવેજ યાદી
- આધાર કાર્ડ
- SSC ના પ્રમાણપત્રની નકલ
- SSC માર્કશીટની નકલ
- HSC ના પ્રમાણપત્રની નકલ અને માર્કશીટ
- ITI પ્રમાણપત્રની નકલ અને માર્કશીટ.
- ડિપ્લોમા પ્રમાણપત્રની નકલ અને માર્કશીટ.
- શ્રેણી પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
- અભ્યાસ/ બોનાફાઇડ પ્રમાણપત્ર
- વાર્ષિક કૌટુંબિક આવકનું પ્રમાણપત્ર
- નવીકરણના કિસ્સામાં પ્રમોશન પ્રમાણપત્ર
Frequently Asked Questions
1. સક્ષમ શિષ્યવૃત્તિ યોજના શું છે?
સક્ષમ શિષ્યવૃત્તિ યોજના એ શિક્ષણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી એક અનોખી પહેલ છે. આ યોજનાનુ અમલીકરણ AICTE દ્વારા કરવામાં આવે છે.
2. Saksham Scholarship Scheme નો ઉદ્દેશ્ય શું છે?
સક્ષમ શિષ્યવૃત્તિ યોજનાનો ઉદ્દેશ્ય વિશેષ વિકલાંગ બાળકોને ટેક્નિકલ શિક્ષણ મેળવવા માટે પ્રોત્સાહન અને સમર્થન આપવાનો છે. આ યોજના દ્વારા વિશેષ રીતે સક્ષમ વિદ્યાર્થીને ટેકનિકલ શિક્ષણ/જ્ઞાન દ્વારા સફળ ભવિષ્ય માટે તૈયારી કરવાની તક આપવાનો પ્રયાસ છે.
3. સક્ષમ શિષ્યવૃત્તિ યોજનાનો લાભ કોણ લઈ શકે છે?
સક્ષમ શિષ્યવૃત્તિ યોજનાનો લાભ ખાસ વિકલાંગ વિદ્યાર્થીઓની વિકલાંગતા 40% વધુ હોય અને વાર્ષિક કૌટુંબિક આવક આઠ લાખથી વધુ ન હોય તેવા વિદ્યાર્થીઓ લાભ લઈ શકે છે.